ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા દંડનીય કાર્યવાહી
આ પાઇપલાઇનનો ઉપયોગ અંક્લેશ્વર અને ઝગડીયા વિસ્તારમાંથી ઉદભવતા ગંદાપાણીને શુદ્ધિકરણ બાદ દરિયામાં નિકાલ કરવા માટે થાય છે. છેલ્લા ૪ માસથી ઝગડીયાથી કાંટિયાજાલ સુધી જતી પાઇપલાઇનમાં વારંવાર થતા ભંગાણના કારણે ખાડીમાં તથા આસપાસના ખેતરમાં પાઇપલાઇનનું દુષિત પાણી ફેલાવવાની ઘટનાઓ બની છે. આ સંદર્ભે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા નર્મદા ક્લિન ટેકને નોટીસ ફટકારવામાં આવેલ છે.

- ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા નર્મદા ક્લીન ટેકને દૂષિત પાણી પરત લઇ નિયમોનુસાર નિકાલ કરવા નોટીસ અપાઇ
- ભરૂચ જિલ્લામાં અંક્લેશ્વર ખાતે પ્રદૂષિત પાણીને શુદ્ધ કરી તેને દરિયામાં નિકાલ કરવા વહન કરતી પાઇપલાઇન નર્મદા ક્લીન ટેક (NCT) દ્વારા ચલાવવામાં આવે છે.

તાજેતરમાં તા. ૦૭, ૦૮, ૦૯ નવેમ્બર-૨૦૧૯ના રોજ પાઇપલાઇનમાં પડેલ ભંગાણના રીપેરીંગ તથા એર રિલિઝ વાલ્વની સફાઇ દરમિયાન દુષિત પાણી ખાડી અને ખેતરમાં જવાના બનાવો બન્યા હતા. જેને કારણે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા નર્મદા ક્લિન ટેકને તાત્કાલિક પગલા લઇ દુષિત પાણી પરત લઈ નિયમોનુસાર નિકાલ કરવા ફરીથી નોટીસ આપવામાં આવી છે એમ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની યાદીમાં જણાવાયું છે. (દિલીપગજ્જર/જિતેન્દ્રરામી)
મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.